દેશમાંથી કોંગ્રેસનો સફાયો થશે એવું વિચારવાનું મોદી બંધ કરી દે - અશોક ગેહલોત
  • 4 years ago
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે મંગળવારે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપે એ વિચારવાનું બંધ કરી દેવું જોઈએ કે ભારતમાંથી કોંગ્રેસનો સફાયો થઈ જશે તેમણે કહ્યું કે, પાર્ટીનો DNA દેશની સંસ્કૃતિ અને મૂલ્યો સાથે ભળે છે લોકોને હવે સમજાવા લાગ્યું છે કે ભાજપ નેતા શું કહે છે અને શું કરે છે જનતાએ તેમનો ઈન્કાર કરવાનું શરૂ કરી દીધું છે

દિલ્હીમાં ગેહલોતે પ્રત્રકારે સાથેની વાતચીતમાં કહ્યું કે, મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ કોંગ્રેસ મુક્ત ભારત વિશે વાત કરતા હતા પરંતુ ગુજરાત વિધાનસભા ચૂંટણી બાદ કર્ણાટક, રાજસ્થાન, મધ્યપ્રદેશ , છત્તીસગઢ અને તાજેતરમાં જ મહારાષ્ટ્ર અને હરિયાણામાં ચૂંટણી યોજાઈ હતી, જ્યાં લોકોએ તેમને પાઠ ભણાવ્યો હતો
Recommended