હવે ભીમ UPIથી ફાસ્ટેગને રિચાર્જ કરી શકાશે,15 જાન્યુ.થી ટોલપ્લાઝા પર રોકડ ચુકવણી બંધ થશે
  • 4 years ago
ગુરુવારે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)ના જણાવ્યા પ્રમાણે, લોકો હવે તેમના વાહનમાં લગાવેલ ફાસ્ટેગ ભીમ UPI દ્વારા રિચાર્જ કરાવી શકે છે કોઈપણ ભીમ UPI મોબાઈલ એપ દ્વારા વાહન માલિકો ફાસ્ટેગને રિચાર્જ કરી શકશે નેશનલ હાઈવેના ટોલ પ્લાઝા પર રવિવાર 15 ડિસેમ્બરથી વાહનો પર ફાસ્ટેગ લગાવવાનું ફરિજિયાત બની થઈ ગયું છે જો કોઈ વાહન ફાસ્ટેગ વગર ટોલ પ્લાઝાની ફાસ્ટટેગ લાઈનમાંથી પસાર થશે તો તેને ડબલ ટોલ ટેક્સ ચૂકવવો પડશે જો કે પ્રથમ એક મહિના એટલે કે 15 જાન્યુઆરી સુધી દરેક હાઈવ પર ચોથા ભાગના ટોલ બૂથ પર રોકડ અને ફાસ્ટેગ બંનેથી ચૂકવણી કરી શકાશે
Recommended