કાશ્મીરમાં હવે શિક્ષણ-રોજગારી મળતી થશે એટલે પથ્થરમારો બંધ થશેઃ કાશ્મીરના વિદ્યાર્થી
  • 5 years ago
સુરતઃ જમ્મુ અને કાશ્મીરમાંથી હાલમાંજ કેન્દ્ર સરકારે 370 અને 35એ ની કલમ નાબૂદ કરવાના નિર્ણયને જમ્મુ કાશ્મીરથી અભ્યાસ કરવા વલસાડની સરકારી ઇજનેરી કોલેજમાં આવેલા 13 વિદ્યાર્થીઓ વધાવી લેતા આ પગલાથી જમ્મુ કાશ્મીરમાં વિકાસ અને રોજગારી ઉભી થશે તેમ જણાવ્યું હતું કાશ્મીરી પંડિતોને કાશ્મીરમાંથી જમ્મુમાં સ્થાઇ કરાવ્યા બાદ સ્થાનિકોએ રોજગારી માટે બહાર જવા સિવાય હોઈ વિકલ્પ બચ્યો ન હતો તેવી લાગણી પણ આ વિદ્યાર્થીઓએ વ્યક્ત કરી હતી જમ્મુ અને કાશ્મીરની સરકાર ટુરિઝમ સિવાય અન્ય કોઈ સ્થાનિક રોજગારીના સાધનો ઉભી કરી શક્યા ન હોવાનું જણાવ્યું હતું
Recommended