વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધતી જનસંખ્યા વિશે કહ્યું, ‘પરિવાર નાનો રાખવો તે પણ દેશની સેવા’
  • 5 years ago
વીડિયો ડેસ્કઃ 73માં સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કર્યું છે જેમાં તેમણે અનેક મહત્ત્વના મુદ્દા પર વાત કરી હતી મોદીએ આ સંબોધનમાં કહ્યું કે, ‘ઝડપથી વધતી જતી જનસંખ્યા વિશે આપણે આવનાર પેઢી વિશે વિચારવુ જોઈએ સીમિત પરિવારથી ના માત્ર પોતાને પરંતુ દેશનું પણ ભલુ થશે’ આ ઉપરાંત તેમણે વધુમાં કહ્યું કે, ‘ જે સીમિત પરિવારના ફાયદા લોકોને સમજાવી રહ્યા છે તેમને આજે સન્માનિત કરવાની જરૂર છે નાનો પરિવાર રાખનાર દેશભક્તની જેમ છે’
Recommended