વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વર્ગસ્થ નેતા અરુણ જેટલીના પરિવારને મળીને ભાવુક થયા
  • 5 years ago
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દેશોનો પ્રવાસ કર્યા બાદ સોમવારે મોડી રાતે ભારત પરત ફર્યા હતા ભારત આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સ્વર્ગસ્થ પૂર્વ નાણાપ્રધાન અરુણ જેટલીના ઘરે પહોંચ્યા છે પીએમએ અહીં જેટલીને શ્રદ્ધાંજલિ આપી છે આ અંગે વડાપ્રધાન કાર્યાલય તરફથી ટ્વિટ કરીને માહિતી આપવામાં આવી છે નોંધનીય છે કેે, અગાઉ અમિત શાહે અરુણ જેટલીને તેમના ઘરે, ભાજપ કાર્યાલય અને નિગમબોધ ઘાટ પર પણ શ્રદ્ધાંજલિ આપી હતી

ઉલ્લેખનીય છે કે પૂર્વ કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીનું લાંબી બિમારી બાદ 23 ઓગસ્ટે નિધન થયું હતું જયારે તેમનું નિધન થયું ત્યારે વડાપ્રધાન મોદી દેશની બહાર હતા, તેમણે સંયુક્ત અરબ અમીરાત(UAE)થી અરૂણ જેટલીના પરિવાર સાથે વાતચીત કરી હતી ઉલ્લેખનીય છે કે અરુણના નિધન બાદ પીએમ મોદીએ અરૂણ જેટલીની પત્ની સંગીતા અને તેમના પુત્ર રોશનની સાથે વાતાચીત કરી હતી આ દરમિયાન જેટલી પરિવારે પીએમને અપીલ કરી હતી કે તેમણે તેમનો વિદેશ પ્રવાસ રદ ન કરવો જોઈએ આ કારણે જ વિદેશથી વડાપ્રધાન તાત્કાલિક પરત આવ્યા ન હતા
Recommended