અતિવૃષ્ટીમાં જીવ બચાવવા પાણીમાંથી મકાનની છત પર ચડી ગયો મગર

  • 5 years ago
કેરળમાં પૂર અને વરસાદના કારણે આઠ જિલ્લા સૌથી વધારે પ્રભાવિત થયા છે સોમવારે રાજ્યમાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યાનો આંકડો 72 સુધી પહોંચી ગયો છે 58 લોકો હજી પણ ગુમ છે પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી અઢી લાખ લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે અહીં 1640 રાહત શિબીર બનાવવામાં આવી છે બીજી બાજુ કર્ણાટકના 17 જિલ્લા પણ પૂરથી પ્રભાવિત છે અહીં છેલ્લાં 12 દિવસમાં 40 લોકોના જીવ ગયા છે જ્યારે 14 લોકો ગુમ છે ત્યારે કર્ણાટકના બેલગામમાં જીવ બચાવવા એક મગર પાણીમાંથી મકાનના છાપરા પર ચડી ગયો હતો જાનવરોના આ રીતે માનવ રહેણાંકોમાં ઘૂંસપેઠ જોઈ લોકો પણ હેરાનમાં પડી ગયા હતા જેનો વીડિયો એએનઆઈએ પોસ્ટ કર્યો છે

Recommended