મુર્ધન્ય-પ્રખ્યાત લેખક-પત્રકાર કાંતિ ભટ્ટનું 88 વર્ષની વયે મુંબઈમાં નિધન
  • 5 years ago
મુંબઈ :પત્રકારની પાઠશાળા જેવા મૂળ ભાવનગર જિલ્લાના ઝાંઝમેર ગામના વતની એવા કાંતિ ભટ્ટનું મુંબઈના કાંદિવલીમાં 88 વર્ષ નિધન થયું છે તેઓ દિવ્યભાસ્કરના વરિષ્ઠ કટાર લેખક હતા થોડા દિવસ પહેલા તેમણે એમનો 88મો જન્મદિવસ ઉજવ્યો હતો આ સમયે તેમણે ગરબા પણ રમ્યા હતા 6 દાયકાથી વધુ સમયથી ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે તેમણે હજારો લેખો લખ્યા અને લગભગ તમામ અખબારમાં ટોચના કટાર લેખ લખ્યા હતા
Recommended