પેજાવર મઠના પ્રમુખ વિશ્વેશ તીર્થ સ્વામીજીનું 88 વર્ષની ઉંમરે નિધન, કર્ણાટકમાં ત્રણ દિવસનો રાજકીય શોક
  • 4 years ago
પેજાવર મઠના પ્રમુખ વિશ્વેશ તીર્થ સ્વામીજી(88)નું રવિવારે સવારે ઉડુપી સ્થિત શ્રીકૃષ્ણ મઠમાં નિધન થયું છે ઉડુપીના ધારાસભ્ય રધુપતિ ભટે જણાવ્યું કે સ્વામીજીએ સવારે 930 વાગે અંતિમ શ્વાસ લીધા તેમનું પાર્થિવ શરીર મહાત્મ ગાંધી મેદાનમાં 3 કલાક માટે રાખવામાં આવશે કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા પણ તેમને શ્રદ્ધાંજલિ આપવા પહોંચશે

વડાપ્રધાન મોદીએ સ્વામીજીના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યું શ્રી વિશ્વેશ તીર્થ સ્વામીજી તે લાખો લોકોના હૃદયમાં રહેશે, જેમને તેમની પાસેથી માર્ગદર્શન મળ્યું ગુરુ પૂર્ણિમા પર તેમની સાથેનું મિલન યાદગાર રહ્યું
Recommended