રિટાયરમેન્ટની અફવાઓ વચ્ચે ધોનીએ કહ્યું- મને પોતાને નથી ખબર હું ક્યારે સંન્યાસ લઈશ
  • 5 years ago
વર્લ્ડ કપમાં શનિવારે ભારતીય ટીમ શ્રીલંકા સામે રમીને ગ્રૂપ સ્ટેજમાં સામેલ થઈ જશે માનવામાં આવે છે કે, વર્લ્ડ કપમાં ભારતની છેલ્લી મેચ ધોનીના આંતરરાષ્ટ્રીય કરિયરની પણ છેલ્લી મેચ હશે ત્યારપછી તેઓ સંન્યાસની જાહેરાત કરશે જોકે મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે ધોની વર્લ્ડ કપ પછી આગળ પણ રમવાનું ચાલુ રાખી શકે છે

એક ન્યૂઝ ચેનલે દાવો કર્યો છે કે, ધોનીએ તેના રિટાયરમેન્ટ વિશે પહેલીવાર પ્રતિક્રિયા આપી હતી તેમાં તેણે કહ્યું હતું કે, મને પોતાને નથી ખબર કે હું ક્યારે સંન્યાસ લેવાનો છું પરંતુ અમુક લોકો મને શ્રીલંકા સામેની મેચ પછી નિવૃત્તિ અપાવવા માંગે છે

રિપોર્ટ્સ પ્રમાણે, ધોનીના આ નિવેદનને ટીમ મેનેજમેન્ટ સાથે કોઈ લેવા-દેવા નથી તેઓ માત્ર મીડિયાને ટાર્ગટ કરી રહ્યા હતા કે જેઓ સતત તેમના ભવિષ્ય વિશે ટિપ્પણીઓ કરી રહ્યા છે
Recommended