કૂચ બિહારમાં તૃણમૂલ નેતાની હત્યા,પાર્ટીએ ભાજપ પર આરોપ લગાવ્યો

  • 5 years ago
પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં બુધવારે તૃણમૂલ કોંગ્રેસ નેતા અઝીજર રહમાનની હત્યા કરવામાં આવી છે આ સપ્તાહમાં તૃણમૂલ કાર્યકર્તાની આ બીજી ઘટના છે સ્થાનીક તૃણમૂલ નેતાએ હત્યાનો આરોપ ભાજપ પર લગાવ્યો છે તેમનો આરોપ છે કે, ભાજપના કાર્યકર્તા અઝહર અલી અને તેમના અમુક સહયોગીઓએ મારી મારીને રહમાનની હત્યા કરી દીધી છે

કૂચ બિહારના ભાજપના સાંસદ નિશિત પ્રમાણિકે બુધવારે કહ્યું કે, આતંરિક ઝઘડાના કારણે યુવકની હત્યા થઈ છે ટીએમસી આ મામલે રાજકારણ કરી રહી છે પીડિત પરિવારે પણ જણાવ્યું કે, આ ઘટના આંતરિક વિવાદના કારણે થઈ છે તેમાં કોઈ ભાજપ કાર્યકર્તાનો હાથ નથી

Recommended