પત્નીના ફેસબુક પર 6 હજાર ફોલોઅર્સ; મોબાઈલ પર વ્યસ્ત રહેતી હોવાથી પતિએ હત્યા કરી
  • 4 years ago
આમેર વિસ્તારમાં પતિએ ચરિત્ર પર શંકા હોવાના કારણે તેની પત્નીની હત્યા કરી દીધી હતી પોલીસે આરોપી અયાજ અહમદ અંસારી(26)ની ધરપકડ કરી લીધી છે પુછપરછમાં તેમણે જણાવ્યું કે, લગભગ બે વર્ષ પહેલા તેના રેશમા ઉર્ફ નૈના મંગલાની(22) સાથે પ્રેમ લગ્ન થયા હતા પત્નીના ફેસબુક પર 6 હજાર કરતા વધારે ફોલોઅર્સ છે, તે હંમેશા મોબાઈલ પર જ વ્યસ્ત રહેતી હતી આના લીધે અવારનવાર ઝઘડા થતા હતા કંટાળીને યુવકે પત્નીની હત્યા કરવાનું વિચાર્યું પતિએ રવિવારે સવારે પત્નીને સમાધાન કરવા માટે બોલાવી અને તેને આખો દિવસ ફરાવી ત્યારબાદ અંધારું થતાની સાથે જ હત્યા કરી દીધી હતી દંપતિનો ત્રણ મહિનાનો એક દીકરો પણ છે
Recommended