ભર ઉનાળે પાણીના કકળાટ વચ્ચે નસવાડીમાં સંપમાંથી પાણીનો વેડફાટ
  • 5 years ago
છોટાઉદેપુરઃ નસવાડી તાલુકામાં કરોડો રૂપિયાના ખર્ચે ચાલતી 125 ગામ જૂથ પાણી પુરવઠા યોજનાનું ફિલ્ટર થયેલુ પાણી ભર ઉનાળે ગામડામાં પોહચતુ નથી અને જ્યાં પોહચે છે, ત્યાં પાણીનો વેડફાટ થઇ રહ્યો છે છતાંય કિંમતી પાણી બચાવવા માટે યોજના ચલાવનાર કોન્ટ્રાકટર અને ધ્યાન રાખનાર પાણી પુરવઠા અધિકારી ધ્યાન આપતા નથી નસવાડીના મુખ્ય સંપમાંથી પાણી ઓવરફ્લો થયા બાદ કલાકો સુધી અશ્વિન નદીમાં વહે છે, પાણી એટલી મોટી માત્રમાં વહે છે, જે જો આ વેહતા પાણીથી એક ગામ આખું પાણીની તરસ છીપાવી શકે તેમ છે
Recommended