અમદાવાદઃ ગ્રીન ઓર્કિડ બિલ્ડિંગમાં લાગી આગ, 4 વ્યક્તિ ફસાયા

  • last year
શાહીબાગ વિસ્તારના ગિરધર સર્કલ પાસેના ગ્રીન ઓર્કિડ બિલ્ડિંગના સાતમા માળે આગ લાગી હોવાની માહિતિ સામે આવી છે. આગની ઘટનામાં 4 વ્યક્તિઓ ફસાયા હતા, ફાયર વિભાગને જાણ કરતા જ ફાયર વિભાગની 11 ગાડીઓ તેમજ ટીમ સાથે અધિકારીઓ સ્થળ ઉપર પહોંચી ગયા છે. હાલમાં આગ ઓલવવાની કામગીરી ચાલુ છે, આ આગ ગેસ ગીઝરના કારણે લાગી હોવાનું સામે આવ્યું છે. ઘટના સમયે ઘરમાં 4 લોકો હાજર હતા. આ સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

Recommended