જે લોકો બળવો કરી રહ્યા છે એ ભૂલ કરી રહ્યા છેઃ રાજેન્દ્ર ત્રિવેદી
  • last year
ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની યાદીની લાંબી રાહ જોવડાવ્યા બાદ ભાજપ દ્વારા 160 વિધાનસભાની સીટોના ઉમેદવારની યાદી જાહેર કરી દીધી છે. ભાજપ દ્વારા સૌથી વધુ યુવા મતદારો પર ધ્યાન કેન્દ્રીત કરી યુવા મતદારોને મેદાનમાં ઉતાર્યા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે વડોદરા શહેરની રાવપુરા વિધાનસભા બેઠક પર ત્રિપાંખીયા જંગના લડવૈયાઓના ચહેરા સામે આવી ગયા છે. ભાજપે નો રીપીટ થીયરી અપનાવી રાજેન્દ્ર ત્રિવેદીને પડતા મૂકી બાલકૃષ્ણ શુક્લાને ટિકીટ આપી છે. તો કોંગ્રેસે સંજય પટેલ અને આમ આદમી પાર્ટીએ હીરેન શિર્કેને ટિકીટ આપી છે. ત્યારે આ બેઠક પર ત્રિપાંખીયો જંગ જામશે.
Recommended