J&K: ત્રણ દિવસમાં બદલો, SPOની હત્યામાં સામેલ આતંકીઓ સહિત 4 ઠાર
  • 2 years ago
જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લાના દ્રાસમાં સુરક્ષાદળો સાથે ચાલી રહેલી અથડામણમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. આ ત્રણ આતંકવાદીઓ જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા હોવાનું કહેવાય છે. આ એન્કાઉન્ટર મંગળવારે સાંજે શરૂ થયું હતું. આ સિવાય મુલુમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં એક આતંકવાદી પણ માર્યો ગયો છે.

ADGP કાશ્મીરે કહ્યું કે, શોપિયાંના દ્રાસમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. આ ત્રણેય આતંકવાદીઓ સ્થાનિક છે અને તેઓ જૈશ-એ-મોહમ્મદ સંગઠન સાથે સંકળાયેલા હોવાનું કહેવાય છે. આ સિવાય લગભગ બે કલાક પહેલા મુલુમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓનું એન્કાઉન્ટર પણ શરૂ થઈ ગયું છે. અહીં પણ એક આતંકી માર્યો ગયો છે, અહીં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે ગોળીબાર હજુ પણ ચાલુ છે.
Recommended