સુરતમાં જગ્યા ખાલી કરાવવા બાબતે પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ
- 4 years ago
સુરતઃવરાછા વિસ્તારમાં આવેલા એકે રોડ પર ગૌશાળા નજીક આવેલી શ્રીનાથજી દ્વાર સોસાયટીમાં સ્થાનિક અને પોલીસ કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું જેમાં પોલીસે બળપ્રયોગ કરવાની સાથે મહિલા સહિત અમુક લોકોની અટકાયત કરી હતી જો કે, સમગ્ર પ્રકરણમાં સ્થાનિકોએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, સીઓપીની જગ્યા બિલ્ડરને આપી દેવા માટે પોલીસ અમારા પર અત્યાચાર કરે છે