રાજતિલક / એક સમયે રાજકોટ માસુમાબાદ તરીકે કેમ ઓળખાતું હતું? જુઓ જાજરમાન રાજવી ઈતિહાસ
  • 4 years ago
વિડિયો ડેસ્કઃ રાજકોટના 17મા રાજવી તરીકે માંધાતાસિંહજીનો રાજ્યાભિષેક થયો છે આ સાથે જ રાજકોટના જાજરમાન રાજવી ઈતિહાસનો નવો અધ્યાય શરૂ થયો છે ચાર સદીથી વધુ જૂના આ રાજવી વંશવેલાએ અનેક ઉતાર-ચઢાવ જોયા છે જામ વિભાજીથી માંડી માંધાતાસિંહજી સુધીની આ સફરમાં રાજવી પરિવારે અનેક કુરબાનીઓ આપી છે સંકટના સમયે આ રાજવીઓ લોકોની પડખે ઉભા રહ્યા છે અને એટલે જ પ્રજાવત્સલ કહેવાયા છે આવો એક નજર કરીએ આ રાજવી પરિવારના ગૌરવાશાળી ઈતિહાસ પર
Recommended