આજે 71મો ગણતંત્ર દિવસ, મોદીએ નેશનલ વોર મેમોરિયલ પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી
  • 4 years ago
આજે દેશનો 71મો ગણતંત્ર દિવસ ઉજવવામાં આવી રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌથી પહેલા નેશનલ વોર મેમોરિયલ પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી પ્રથમ વખત એવી બન્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમર જવાન જયોતિ ન જઈને ઈન્ડિયા ગેટની પાસે આવેલા વોર મેમોરિયલ પહોંચ્યા છે આ વખતે બ્રાઝીલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારો સમારંભના મુખ્ય મહેમાન છે આ વર્ષે રાજપથ પર 90 મિનિટની પરેડમાં ડીઆરડીઓ દ્વારા ડેવલોપ કરવામાં આવેલો સેટેલાઈટ વેપન્સ(એસેટ)- મિશન શક્તિ મુખ્ય આકર્ષણ હશે વાયુસેનાના ચિનૂક અને અપાચે હેલિકોપ્ટરને પણ પ્રથમ વખત પરેડમાં સામેલ કરવામાં આવ્યા છે
Recommended