મોદીએ ડિટેન્શન સેન્ટરને જુઠ્ઠાણું ગણાવ્યું, શાહે કહ્યું- અસમમાં એક સેન્ટર , અન્ય વિશે માહિતી નથી
  • 4 years ago
ગૃહ મંત્રી અમિત શાહે મંગળવારે એક ઈન્ટરવ્યુમાં ડિટેન્શન સેન્ટર બનાવવા અંગેની વાત પર સ્પષ્ટતા કરી છે તેમણે કહ્યું કે ડિટેન્શન સેન્ટર બનાવવા તે એક સતત પ્રક્રિયા છે જો કોઈ વિદેશી નાગરિક પકડાઈ જાય છે તો તેને તેમાં રાખવામાં આવે છે જોકે જ્યારે તેમને પુછવામાં આવ્યું કે દેશમાં આવા કેટલા સેન્ટર છે તો તેમણે કહ્યું- હાલ અસમમાં એક છે આ સિવાયનું કોઈ મારા ધ્યાનમાં નથી હું કન્ફોર્મ નથી રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિટેન્શન સેન્ટર બનાવવાની વાતોને અફવાહ ગણાવી હતી જ્યારે ન્યુઝ એજન્સી રોયટર્સના રિપોર્ટ મુજબ, અસમમાં 6 ટિટેન્શન સેન્ટર છે ઈન્ડિયન એક્સપ્રેસના જણાવ્યા મુજબ, કર્ણાટકમાં પણ એક ડિટેન્શન સેન્ટર હોલ તાજેતરમાં જ તૈયાર થયો છે
Recommended