દ્વારકાના ગોમતી ઘાટે સુદામા સેતુ પર 3 દિવસ યાત્રિકોને પ્રવેશબંધી
  • 5 years ago
દ્વારકા/દીવ:વાયુ વાવાઝોડાની અસર સૌરાષ્ટ્રના બંદરો પર શરૂ થઇ ગઇ છે ત્યારે દ્વારકામાં 3,000 યાત્રિકો હજુ હાજર હોય તેમને હોટેલ કે ગેસ્ટહાઉસના રૂમમાં જ રહેવા તાકિદ કરી દેવાઇ છે દ્વારકા જિલ્લા કલેક્ટર ડો નરેન્દ્રકુમાર મિનાએ જણાવ્યું હતું કે, દ્વારકા ગોમતી ઘાટ પર આવેલ સુદામા સેતુ પર યાત્રિકોને અવરજવર પર ત્રણ દિવસ સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને દરિયા કાંઠે ન જવા તાકિદ કરવામાં આવી છે સમગ્ર વહિવટી તંત્ર સંભવિત કોઇ પણ સ્થિતિને પહોંચી વળવા તૈયાર છે
Recommended