સૌરાષ્ટ્રના દરેક બંદરો પર 1 નંબરનું સિગ્નલ, વાવાઝોડા સાથે વરસાદની શક્યતા
  • 5 years ago
રાજકોટ: અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાયું છે વેરાવળથી 930 કિમી દૂર દરિયામાં સર્જાયેલું ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તીત થશે જેને લઇને સૌરાષ્ટ્રના દરેક બંદરો પર ફિશરીઝ વિભાગ દ્વારા એક નંબરનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે તેમજ માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપી દેવામાં આવી છે 12થી 15 જુન વચ્ચે દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે હવામાન વિભાગની આગાહીના પગલે સૌરાષ્ટ્રના બંદરો પર હોડીઓ લાંગરી દેવાની કાર્યવાહી હાથ ધરાઇ છે
Recommended