પોઇચા સહિત નર્મદા જિલ્લામાં નોન આલ્કોહોલિક બિયર શોપ્સ પર પોલીસના દરોડા
  • 5 years ago
રાજપીપળાઃનર્મદા જિલ્લાને પ્રવાસન ધામ તરીકે વિકસાવવા સરકાર વિવિધ પ્રોજેક્ટ્સ લાવી રહી છે, હવે પ્રવાસીઓ અને સ્થાનિકોને એવી આશા બધાઇ છે કે, કેવડિયાને સરકાર કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દેશે જેને લઇને ગાંધીના ગુજરાતમાં દારૂની છુટ્ટી થઈ ગઇ હોય તેમ યાત્રાધામની બહાર જ ઠેર-ઠેર નોન આલ્કોહોલિક બિયર શોપ્સ ખુલી ગઇ છે આ બિયર શોપ્સ પર નર્મદા જિલ્લા પોલીસ વડાની સૂચનાથી પોલીસે રેડ કરી તમામ બેનરો તોડી નાખ્યા છે અને બિયારોના પણ સેમ્પલ લઇને લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલશે આ સાથે તેમના પાસેના લાઇસન્સ પણ ચેક કર્યાં હતા અને આગામી દિવસોમાં આવી શોપ નહીં ખુલે એની ખાતરી આપી હતી
Recommended