અખાત્રીજે જૈન શ્રાવકોના વરસીતપના પારણા: ભગવાન આદિનાથનું ઈક્ષુરસથી પ્રક્ષાલન
  • 5 years ago
અમદાવાદ: આજે અખાત્રીજના શુભ દિવસે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલા ઝવેર પાર્ક જૈન સંઘ દેરાસરમાં બિરાજમાન પ્રભુ આદીશ્વર ભગવાનને ઈક્ષુ રસથી ભાવિકો પ્રક્ષાલન કરી રહ્યાં છે ઉલ્લેખનીય છે કે જૈન ધર્મના પ્રથમ તીર્થંકર પ્રભુ આદિનાથે 400 દિવસના ઉપવાસની ઘોર તપસ્યા કર્યા બાદ શેરડીના રસથી અખાત્રીજના દિવસે પારણા કર્યા હતા તે દિવસની યાદમાં દર વર્ષે જૈનોના વરસીતપના પારણા અખાત્રીજના દિવસે થાય છે તથા વર્ષમાં ફક્ત એક જ દિવસે પ્રભુ આદિનાથને ઈક્ષુ રસ એટલે કે શેરડીના રસથી પ્રક્ષાલન કરવામાં આવે છે
Recommended