અમદાવાદ-ધ્રાંગધ્રા હાઈવે પર કાર અને ટેન્કર વચ્ચે અકસ્માતમાં 3ના મોત
  • 5 years ago
સુરેન્દ્રનગર: અમદાવાદ-ધ્રાંગધ્રા હાઈવે પર માલવણ ગામ પાસે કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં 3ના મોત નીપજ્યા હતા જ્યારે 3 ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા ઈજાગ્રસ્તોને સારવારઅર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે મૃતકોમાં બે મહિલા અને એક પુરુષ સામેલ છે એક જ પરિવારના ત્રણ લોકોના મોત થતા પરિવારમાં શોકની લાગણી ફેલાઈ હતી પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે ઘટનાના પગલે હાઈવે પર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા
Recommended