લોકસભા ચૂંટણીનો ચોથો તબક્કો, અનિલ અંબાણી, પરેશ રાવલ સહિતના નેતા- મહાનુભાવોએ મતદાન કર્યું
  • 5 years ago
લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં 943 ઉમેદવારો મેદાનમાં છે કુલ 12 કરોડ 79 લાખ મતદારો મતદાન કરે તેવી આશા છે ત્યારે અનેક નેતાઓ-મહાનુભાવોએ જુદી-જુદી જગ્યાએથી મતદાન કર્યું હતું ભાજપ નેતાવસુંધરા રાજેસિંધિયાએ ઝાલાવાડથી મતદાન કર્યું તો ગોરખપુરથી ભાજપ ઉમેદવાર રવિ કિશને મુંબઈના ગોરેગાંવમાં મતદાન કર્યું હતુ અનિલ અંબાણીએ મુંબઈમાં કપ પરેડ વિસ્તારથી મતદાન કર્યું હતુ RBI ગવર્નર શશિકાંત દાસે મુંબઈના પેડર રોડ પર આવેલા મતદાન કેન્દ્ર પર મતદાન કર્યું હતુ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે શિકારપુરથી મતદાન કર્યું હતુ એનસીપી પ્રમુખશરદ પવારે પણ મુંબઈના તારદેવથી મતદાન કર્યું હતુ
Recommended