વડાપ્રધાનની આ ભેટથી રાજકોટવાસીઓને ટ્રાફિકમાંથી મળશે રાહત

  • 2 years ago
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તેને લઈ તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ત્રણ બ્રિજનું લોકાર્પણ કરાશે. નવા બ્રિજની ભેટ મળતાં રાજકોટ વાસીઓને ટ્રાફિકમાંથી મુક્તિ મળશે.120 કરોડના ખર્ચે તૈયાર થયેલ હોસ્પિટલ ચોક બ્રિજ, 42 કરોડના ખર્ચે તૈયાર થયેલ રામપીર ચોકનો ઓવરબ્રિજ અને 42 કરોડના ખર્ચે તૈયાર થયેલ નાના મહુવા ઓવર બ્રિજનું લોકાપર્ણ કરાશે.વારંવાર સર્જાતા ટ્રાફિક જામથી લોકોને મુક્તિ મળશે.

Recommended