PFI પર ગાળીયો કસાતા યોગીની પ્રતિક્રિયા

  • 2 years ago
દેશભરમાં આતંકવાદી ગતિવિધિઓમાં PFIની સતત ગતિવિધિના પુરાવા મળ્યા બાદ કેન્દ્ર સરકારે આ સંગઠન પર પ્રતિબંધ ( PFI Ban) લગાવી દીધો છે. કેન્દ્ર સરકારે PFI પર પાંચ વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો છે. હવે કેન્દ્ર સરકારના આ નિર્ણય પર પ્રતિક્રિયાઓ આવી રહી છે. સૌથી પહેલા યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય (Keshav Prasad Maurya) અને બ્રજેશ પાઠકનું (Brajesh Pathak) નિવેદન આવ્યું. ત્યાર બાદ હવે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (Yogi Adityanath) પણ પ્રતિક્રિયા આપી છે.

Recommended