જૂનાગઢમાં મેળાનો છેલ્લો દિવસ, ચોથા દિવસે 4 લાખ ભાવિકો ઉમટ્યા

  • 4 years ago
જૂનાગઢ: મહાશિવરાત્રીના મેળામાં આ વખતે ભાવિકોની વિક્રમી સંખ્યા નોંધાય તો નવાઇ નહીં આજે શિવરાત્રી મેળાનો છેલ્લો દિવસ છે ગઇકાલે ચોથા દિવસે મેળામાં 4 લાખ ભાવિકો આવ્યાનો અંદાજ છે આજે સવારથી જ ભાવિકોનો પ્રવાહ ભવનાથ તળેટી તરફ વહેતો જોવા મળે છે વાહનો કરતાં પગપાળા જનારની સંખ્યા વધુ છે આજે જો ભીડ વધુ હશે તો ભરડાવાવથી જ તમામ વાહનો માટે પ્રવેશ બંધ કરવામાં આવનાર છે રાત્રે સાધુ સંતોની રવાડી નીકળશે જે મૃગીકુંડમાં શાહી સ્નાન કરશે અને આ સાથે જ મેળાની પૂર્ણાહુતિ થશે

Recommended