સુપ્રસિદ્ધ યાત્રાધામ તાજપુરામાં ગુરૂ પૂર્ણિમાએ 2 લાખ ભક્તો ઉમટ્યા, દબદબાભેર ઉજવણી

  • 5 years ago
હાલોલઃ હાલોલ પાસે આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ તાજપુરા ખાતે ગુરૂ પૂર્ણિમાના પ્રસંગે શ્રી નારાયણ બાપુની અનુપસ્થિતિમાં પણ 2 લાખ જેટલા નારાયણ ભક્તો ઉમટી પડ્યા હતા વહેલી સવારે નારાયણ બાપુના પાદુકા પૂજન બાદ ભજન સંધ્યા અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 70 હજાર ભક્તો માટે 4 હજાર કિલો ગાંઠીયા અને 4 હજાર કિલો બુંદી તૈયાર કરાઇ હતી આમ તાજપુરા ખાતે ગુરૂ પૂર્ણિમાની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી ડ્રોનની એક્સક્લુઝિવ તસવીરોમાં તાજપુરામાં ભક્તોના ઘોડાપુરના દ્રશ્યો કેદ થઇ ગયા હતા

Recommended