મણિશંકર અય્યરે મોદી સરકારના 36 મંત્રીઓને ડરપોક ગણાવ્યા કહ્યું ‘ભાજપના લોકો દગાખોર છે’

  • 4 years ago
કોંગ્રેસ નેતા મણિશંકર અય્યરે જમ્મુ-કાશ્મીર જતા ભાજપના 36 મંત્રીઓને ડરપોક ગણાવ્યા છે તેમણે કહ્યું છે કે, આમાથી 31 મંત્રીઓ જમ્મુ જ્યારે 5 જ કાશ્મીર જવાના છે નાગરિકતા સંશોધન કાયદો (CAA) વિશે મલપ્પુરમમાં અય્યરે કહ્યું કે, મોદી સરકારના આ મંત્રીઓ કાયર છે તેમણે સવાલ પૂછવાના અંદાજમાં કહ્યું કે, આ મંત્રીઓ ત્યાં જઈને કોની સાથે વાત કરશે? શું પૂર્વ મંત્રીઓ સાથે? તેઓ આવું ન કરી શકે, કારણકે ત્યાં તો બધાની અટકાયત કરી લેવામાં આવી છે ફારુક અને ઉમર અબ્દુલા અને મહેબુબા મુફ્તી જેલમાં છે

Recommended