રોહતકમાં મોદીએ કહ્યું- હારના લીધે અમુક લોકો એટલા બેહાલ છે કે મન સુન્ન થઇ ગયું
  • 5 years ago
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે હરિયાણાના રોહતકમાં વિજય સંકલ્પ રેલીમાં સંબોધન કર્યું હતું આ દરમિયાન તેમણે રાજ્યમાં 2000 કરોડ રૂપિયાની યોજનાઓનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું હતું મોદીએ કહ્યું કે આ સંયોગ છે કે જ્યારે કેન્દ્ર સરકારના 100 દિવસ પૂર્ણ થયા છે ત્યારે હું હરિયાણા આવ્યો છું આ દરમિયાન તેમણે વિપક્ષ પર કટાક્ષ કર્યો મોદીએ કહ્યું- 100 દિવસમાં અમુકો લોકોને કંઇ સમજાતુ નથી અમુક લોકો ચૂંટણીમાં હારવાથી એટલા બેહાલ છે કે મન સુન્ન થઇ ગયું છે
Recommended