વાંકાનેરમાં જમીન બાબતે ફાયરિંગની ઘટના, 10 લોકોના ટોળાએ આધેડ પર હુમલો કર્યો
  • 4 years ago
રાજકોટ:રાજકોટ-અમદાવાદ હાઈવે ઉપર આવેલ વાંકાનેર બાઉન્ડ્રી પાસે દેવાબાપાની જગ્યા નજીક આજે બપોરે ફાયરિંગની ઘટના બની હતી જમીન બાબતે 10થી વધુના ટોળાએ આધેડ પર હુમલો કર્યો હતો અને ફાયરિંગ પણ કર્યું હતું ફાયરિંગની જાણ થતાં વાંકાનેર પીએસઆઈ રામાનુજ અને રાયટર રવિભાઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો આ ફાયરિંમાં એક વ્યકિતને ઈજાગ્રસ્ત હાલતમાં પ્રથમ ચોટીલા અને ત્યાર બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે હુમલા અને ફાયરિંગ અંગે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
Recommended