સુરતના જહાંગીરપુરામાં રીક્ષાને બચાવવા જતા એસ.ટી. બસને અકસ્માત, 3 ઇજાગ્રસ્ત
  • 4 years ago
સુરતઃ સુરતના જહાંગીરપુરા-સારોલી બ્રિજ નીચે એસટીબસ અને રીક્ષા વચ્ચે અકસ્માત થયો હતો આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નહોતી જોકે રીક્ષાચાલક સહિત 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા સુરતના જહાંગીરપુરા-સારોલી બ્રિજ નીચેથી એસટી બસ(GJ-18Z3308) પસાર થઇ રહી હતી આ સમયે વરિયાવ ગામનો રહેવાસી રીક્ષાચાલક પ્રમોદ મૂળજી ચૌહાણ(54) સીએનજી ગેસ ભરાવીને ઘરે જઇ રહ્યો હતો રીક્ષાચાલકે બસને જોયા વગર જ રીક્ષાને વાળી દીધી હતી જેથી રીક્ષાને બચાવવા જતા એસટી બસ ડિવાઇડર સાથે અથડાઇ હતી અને રીક્ષાને પણ અડફેટે લીધી હતી જેથી રીક્ષા પલટી ખાઇ ગઇ હતી જેમાં રીક્ષાચાલક સહિત 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા
Recommended