નડિયાદ: ઠાસરા નજીક એસ.ટી. બસ અને ક્રેઇન વચ્ચે અકસ્માત, 16 મુસાફર ઇજાગ્રસ્ત
  • 5 years ago
નડિયાદ:ઠાસરા તાલુકાના બાધરપુરા પાસે આજે રાત્રે 8 વાગ્યા આસપાસ દાહોદથી કેશોદ જતી એસટી બસ અને ક્રેઇન વચ્ચે અકસ્માતમાં 16 મુસાફરોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી જોકે સદનસિબે કોઇનું મોત થયુ નથી બસ અને ક્રેઇન વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ક્રેઇનનો આગળનો ભાગ બસને ચીરીને અડધે સુધી ઘુસી ગયો હતો ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે

(માહિતી-દિપક સોની, મિતુલ પટેલ, નડિયાદ)
Recommended