ઉન્નાવ દુષ્કર્મ પીડિતાનો મૃતદેહ ઘરે પહોંચ્યો,પીડિતાની બહેને સરકારી નોકરી માંગી

  • 4 years ago
ઉન્નાવ દુષ્કર્મ પીડિતની લાશ શનિવારે સાંજે પોલીસ સુરક્ષામાં દિલ્હીથી તેના ઘરે પહોંચાડાયો હતો પોલીસ અને પ્રશાસને રાતે જ અંતિમ સંસ્કાર કરવાની વાત કરી હતી, પણ પરિવારે રવિવાર સવાલ સુધી અંતિમ સંસ્કાર કર્યો ન હતો અંતિમ સંસ્કારની તૈયારી પુરી થઈ ગઈ છે હવે તેની લાશને દફનાવવામાં આવશે પીડિતની બહેન પૂણેથી આવી રહી છે, તેની પણ રાહ જોવાઈ રહી છે પીડિતના બહેનના જણાવ્યા પ્રમાણે જ્યાં સુધી સીએમ યોગી આદિત્યનાથ અમને મળવા નહીં આવે ત્યાં સુધી અંતિમ સંસ્કાર નહીં કરીએ પીડિતનની બહેને સરકાર પાસે સરકારી નોકરીની માંગ કરી છે

પીડિતનો મૃતદેહ જ્યારે ઘરે પહોંચ્યા ત્યારે આસપાસના લોકો પણ શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા અહીં અંદાજે 200 પોલીસકર્મીઓ તહેનાત છે 90% દાઝી ગયેલી પીડિતાએ દિલ્હીના સફદરગંજ હોસ્પિટલમાં શુક્રવાર રાતે 1140 વાગ્યે કાર્ડિયક અરેસ્ટ બાદ દમ તોડ્યો હતો મેડિકલ સુપરિટેન્ડેન્ટ ડો સુનીલ ગુપ્તાએ જણાવ્યું કે, પોસ્ટમાર્ટમ રિપોર્ટમાં પીડિતના શરીરમાં ઝેર કે શ્વાસ રુંધાવાના રિપોર્ટ મળ્યા નથી ગંભીર રીતે દાઝવાના કારણે તેનું મોત થયું હતું સાથે જ આરોપીઓના ઘરોમાં સન્નાટો છે અહીં માત્ર મહિલાઓ જ જોવા મળી હતી તેમની માંગ છે કે આ કેસમાં સીબીઆઈ તપાસ કરવામાં આવે

Recommended