મહુવાના વેપારીએ એન્કાઉન્ટર કરનારા પોલીસકર્મીઓ માટે ઈનામની જાહેરાત કરી
  • 4 years ago
હૈદરાબાદના પોલીસ કમિશનર વી સી સજ્જનારે સ્પષ્ટતા કરી કે, બે આરોપી પોલીસ પાસેથી હથિયાર છીનવી ભાગ્યા હતા એ પછી પોલીસે તેમને ચેતવણી આપી હતી પોલીસે ચેતવણી આપતાં તેમણે ફાયરિંગ કર્યું હતું, જ્યારે અન્ય બેએ પથ્થરથી હુમલો કર્યો હતો આ દરમિયાન પોલીસે જવાબી કાર્યવાહી કરતાં ચારેય આરોપી ઠાર થયા છેભાવનગરના મહુવાના વેપારી રાજભા ગોહિલેરૂપિયા 1 લાખના ઈનામની જાહેરાત કરી છે તેમણે કહ્યું કે, પોલીસની આ કાર્યવાહીથી તેમને ગર્વ છે, અને તે હૈદરાબાદ જઇને પોલીસનું સન્માન કરશે તેમના મતે બહેન-દીકરીઓ સામે કોઇ આંખ ઉંચી ન કરે તેવું કામ થયું હોય તો તેનું સન્માન થવું જ જોઈએ
Recommended