બિન સચિવાલય પરીક્ષા વિવાદ, અસિત વોરાના ઘર બહાર દેખાવ કરતા NSUIના કાર્યકરોની અટકાયત

  • 4 years ago
અમદાવાદઃ બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિને લઇને ગાંધીનગર ખાતે એક તરફ જ્યાં ઉમેદવારો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે, ત્યારે બીજી તરફ NSUIના કાર્યકરો દ્વારા સવારે ગૌણસેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાના ઘરની બહાર હોબાળો મચાવવામાં આવ્યો હતો કાર્યકરોએ પરીક્ષા રદ કરવામાં આવે તેવા સૂત્રોચ્ચાર કર્યા હતા મોટી સંખ્યામાં NSUIના કાર્યકરો મણિનગર સ્થિત અસિત વોરાના ઘરે પહોંચ્યા હતા, જ્યાં સૂત્રોચ્ચાર કરતા પોલીસે એનએસયુઆઇના કાર્યકરોની અટકાયત કરી હતી

Recommended