પૂર્વ PM મનમોહનસિંહને જોઈ મોદી તેમને મળવા પહોંચ્યા, લોકોએ વખાણ કર્યા
  • 4 years ago
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે પંજાબના ગુરદાસપુરમાં કરતારપુર કોરિડોરનું ઉદ્ધાટન કર્યું છે તેમણે ડેરા બાબા નાનકમાં આવેલા ચેકપોસ્ટથી 550 શ્રદ્ધાળુઓનો પહેલો જથ્થો રવાના કર્યો છે મોદીએ પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ અને અન્ય નેતાઓ સાથે લંગરમાં ભોજન પણ કર્યું હતું



લોકોને મળતી વખતે PM મોદીની નજર પૂર્વ PM મનમોહનસિંહ પર પડી હતી આથી મોદી તેમને મળવા પહોંચ્યા હતામોદીને આવતા જોઈ મનમોહનસિંહ પણ શિછ્ટાચારના ભાગરૂપે ઊભા થઈ રહ્યા હતા પરંતુ તેમની ઉંમરને લીધે મોદીએ તેમની પાસે આવતાં-આવતાં જ તેમને ઊભા થવાની ના પાડી હતી ઉપસ્થિત સૌ કોઈ આ બંને વિરોધી પાર્ટીઓના વડાપ્રધાન કક્ષાના મહાનુભાવો અને રાજનેતાઓ વચ્ચેનું પરસ્પર સન્માન અને આદરભાવ જોઈ દંગ રહી ગયા હતા આ પ્રસંગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે
Recommended