રાજકોટમાં 7 નવેમ્બરે યોજાનાર ભારત-બાંગ્લાદેશ વચ્ચેની ટી-20 મેચની ટિકિટનું વેચાણ શરૂ
  • 4 years ago
રાજકોટ: રાજકોટના ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આગામી 7 નવેમ્બરના રોજ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટી-20 મેચ યોજાવાની છે, ત્યારે ઓનલાઈન બાદ હવે આજથી ટિકિટનું ફિઝિકલ વેચાણ પણ સ્ટેડિયમ સહિત શહેરમાં અલગ અલગ 4 જગ્યાએ શરૂ કરી દેવામાં આવ્યું છે ટિકિટ વેચાણની શરૂઆત થતાની સાથે ક્રિકેટ રસિકો મેચની ટિકિટ લેવા માટે લાંબી કતારો લગાવી હતી અને પોતાની ટિકિટ ખરીદવા આવી પહોંચ્યા હતા આ અગાઉ પણ આ મેદાન ખાતે 6 ઇન્ટરનેશનલ મેચ અને IPL મેચો રમાઈ ચૂક્યા છે ત્યારે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચને લઇ સમગ્ર સૌરાષ્ટ્રની ક્રિકેટપ્રેમી જનતામાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે
Recommended