મોદીએ કહ્યું- ભારતે વિશ્વને યુદ્ધ નહિ, બુદ્ધ આપ્યા
  • 5 years ago
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા(UNGA)માં સંબોધન કર્યું હતું આ દરમિયાન પીએમ મોદીએ ઘણાં મુદા ઉઠાવ્યા હતા પીએમ મોદીએ તેમના સંબોધનની શરૂઆત કરતા કહ્યું કે આ પ્રસંગ એટલા માટે મહત્વપૂર્ણ છે કે આ વર્ષે અમે મહાત્મા ગાંધીની 150મી જયંતી મનાવી રહ્યાં છે

મોદીએ કહ્યું કે આ વર્ષે વિશ્વના સૌથી મોટા લોકતંત્રની ચૂંટણી થઈ અને મને જનાદેશ મળ્યો આ જનાદેશના કારણે હું આજે તમારી વચ્ચે ઉપસ્થિત છું આ જનાદેશથી નિકળેલો સંદેશ પ્રેરક છે પીએમ મોદીએ કહ્યું કે મને મળેલા જનાદેશનો ખૂબ જ વ્યાપક સંદેશ છે નવા ભારતમાં ઝડપથી ફેરફાર થઈ રહ્યો છે પીએમ મોદીએ તેમના સંબોધનમાં આયુષ્યમાન ભારત સહિત તમામ યોજનાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે અમારી વ્યવસ્થાના કારણે વિશ્વાસ પેદા થયો છે
Recommended