2 ટકા TDSના વિરોધમાં હિંમતનગર સહિત સાબરકાંઠાના તમામ યાર્ડ 3 દિવસ બંધ રહેશે
  • 5 years ago
હિંમતનગર: વાર્ષિક રૂ1 કરોડના રોકડ ટ્રાન્ઝેક્શન પર 2 ટકા ટીડીએસ લાગુ કરવાની સરકારે કરેલી જાહેરાતના વિરોધમાં હિંમતનગર સહિત જિલ્લાના તમામ માર્કેટ યાર્ડોમાં વેપારીઓએ સોમવારથી ત્રણ દિવસ માટે તમામ લેવડ દેવડ બંધ રાખી વિરોધ નોંધાવ્યો છે વેપારીઓના મંતવ્યનુસાર તમામ ખર્ચ સરવાળે ખેડૂતો ઉપર જ જવાનો છે અને નાના - મધ્યમ ખેડૂતોને 2 ટકા ટીડીએસ ભોગવવાનો વારો આવતા મોટું નુકશાન સહન કરવું પડશે
Recommended