કુવૈતથી મુંબઈ આવી રતલામ જતું પરિવાર ટ્રેન રદ્દ થતાં સુરત રેલવે સ્ટેશને રઝળી પડ્યું
  • 5 years ago
સુરતઃદક્ષિણ ગુજરાતમાં પડેલા અનરાધાર વરસાદના કારણે રેલવે ટ્રેક ધોવાઈ જવાથી ટ્રેન વ્યવહારને માઠિ અસર પહોંચી છે સુરત રેલવે સ્ટેશન પરથી 14 ટ્રેનો રદ્દ કરવામાં આવી જેના પગલે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ઘણી ટ્રેનો મુંબઈથી ઉપડીને સુરત રદ્દ કરી દેવામાં આવતાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કુવૈતથી એક પરિવાર મુંબઈ ઉતરીને ટ્રેનમાં રતલામ જઈ રહ્યું હતું આ ટ્રેન સુરતમાં થંભાવી દેવાથી આ પરિવારને રતલામ કેમ જવું તે પ્રશ્ન ઉભો થયો હતો
Recommended