અમદાવાદના ગણેશ જીનેસિસ ફ્લેટના 6ઠ્ઠા માળે લાગેલી આગ કાબૂમાં, એકનું મોત
  • 5 years ago
અમદાવાદઃ જગતપુર પાસે આવેલા ગણેશ જીનેસિસ ફ્લેટના પાંચમાં માળે એક ઘરમાં એસીનું કમ્પ્રેશર ફાટતા આગ લાગી છે જેને પગલે 10 ફાયર બ્રિગેડની ગાડીઓ અને સ્નોરકલ ઘટના સ્થળે છે તેમજ હાલ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે અને 5 જેટલા ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી કરવામાં આવી રહી છે એક ઈજાગ્રસ્ત યુવકને બહાર કાઢવામાં આવ્યો છે આ યુવકની હાલત ગંભીર હોવાથી તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે હાલ 15 જેટલા લોકોને બચાવી લેવામાં આવ્યા છે તેમજ ચીફ ફાયર ઓફિસર પણ ઘટના સ્થળે દોડી આવ્યા છે બચાવ કામગીરી દરમિયાન ફ્લેટના રહીશોએ ફાયર કર્મીઓ સાથે મારા મારી કરી હોવાના અહેવાલો મળી રહ્યા છે બચાવ કામગીરી દરમિયાન ટેકનિકલ ખામી થતા ફાયરનું સ્નોરેકલ બંધ થઈ ગયું હતું
Recommended