પાર્લે પોઈન્ટ ખાતેના બ્રીજ રત્ન એપાર્ટમેન્ટમાં એસીમાં શોર્ટ સર્કિટથી લાગેલી કાબૂમાં
  • 5 years ago
સુરતઃ પાર્લેપોઈન્ટ ખાતે આવેલી બ્રીજ રત્ન એપાર્ટમેન્ટમાં આગ લાગી હતી એપાર્ટમેન્ટના ફ્લેટમાં એસીમાં શોર્ટ સર્કિટથી આગ લાગતાં આસપાસમાં ભયનો માહોલ પેદા થયો હતો ફાયરબ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો સદનસીબે કોઈ જાનહાનિનો બનાવ બન્યો નહોતો નવમાં માળે આવેલા ફ્લેટ નંબર 937 નરેશ અગ્રવાલની માલિકીનો છે સૌ પ્રથમ સ્વિચ બોર્ડમાં શોર્ટ સર્કિટ થયા બાદ વાયરીંગ બળતા આગ લાગી હતી બ્રીજ રત્ન બિલ્ડીંગના ફ્લેટમાં લાગેલી આગનો કોલ મળતાં ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગ પર કાબૂ મેળવ્યો હતો ફાયરબ્રિગેડ તરફથી જાણવા મળ્યું હતું કે, એપાર્ટમેન્ટમાં ફાયર સેફ્ટીના સાધનો તૂટેલી હાલતમાં હતાં સાથે ફાયરસેફ્ટીના સાધનોનો પણ અભાવ હતો આગ પર કાબૂ મેળવાતા લોકોએ હાથકારાની લાગણી અનુભવી હતી
Recommended