વડોદરામાં રોબો રથમાં ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા, મોટી સંખ્યામાં લોકો જોડાયા
  • 5 years ago
વડોદરા: શહેરમાં કાર્યરત મહાત્મા ગાંધી યુથ ઓર્ગેનાઇઝેશનના યુવા કાર્યકરોએ મળીને એક અનોખો રોબો રથ બનાવ્યો છે છેલ્લા 4 વર્ષથી ભગવાન જગન્નાથજીને રોબો રથ પર સવાર કરીને રથયાત્રા કાઢવામાં આવે છે આજે સવારે પણ વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં રોબો રથયાત્રા નિકળી હતી પહિંદ વિધી કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યુ હતુ ભગવાન જગન્નાથજીની આ અનોખી રથયાત્રામાં જોડાયેલા લોકોએ અનેરો આનંદ લીધો હતો
Recommended