વડોદરાના પાણીગેટમાં નજીવી બાબતે બે કોમના જૂથ વચ્ચે પથ્થરમારો, એક વ્યક્તિ ઇજાગ્રસ્ત
  • 5 years ago
વડોદરાઃવડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલા કુંભારવાડામાં બાઇક ધીમી ચલાવવાનું કહેવા બાબતે આજે બે કોમના જૂથ આમને-સામને આવી ગયા હતા અને બંને જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો જેમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હતો ઘટનાની જાણ થતાં જ પાણીગેટ પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી અને મામલો થાળે પાડ્યો હતો અને સમગ્ર વિસ્તારમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો હાલ આ વિસ્તારમાં પોલીસ બંદોબસ્તને પગલે શાંતિનો માહોલ છે જોકે કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વડોદરા પોલીસ ખડેપગે છે
Recommended