ધારીના ખોડીયાર મંદિર નજીક વાવના પાટીયા પાસે અકસ્માતમાં 2 લોકોના મોત

  • 2 years ago
ધારીના ખોડીયાર મંદિર નજીક વાવના પાટીયા પાસે ખાનગી બસ અને એમ્બ્યુલન્સ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સુરતથી ધારી આવતી અનુકૂળ ટ્રાવેલ્સની બસે અકસ્માત સર્જયો હતો. જેમાં ખાનગી એમ્બ્યુલન્સના ડ્રાઈવર અને દર્દીના સગાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે એમ્બ્યુન્સમાં સવાર અન્ય 3 દર્દીઓના સગાઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. બન્ને મૃતકોને ધારી હોસ્પિટલ ખાતે અને 3 ઈજાગ્રસ્તોને અમરેલી સારવાર અર્થે ખસેડાયા હતા. આ ગમખ્વાર અકસ્માતની જાણ થતાં લોકોના ટોળા ઉમટ્યા હતા.

Recommended