શિવસેના છોડનાર આ નેતાના વખાણ કરતા ઠાકરેએ કહ્યું તો તેઓ CM હોત

  • 2 years ago
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા છગન ભુજબળના 75માં જન્મદિવસ પર મોટું નિવેદન આપ્યું છે. પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે જો છગન ભુજબળે શિવસેના ન છોડી હોત તો તેઓ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા હોત. ભુજબળના 75માં જન્મદિવસ પર આયોજિત કાર્યક્રમમાં પૂર્વ સીએમ ઠાકરેએ આ વાત કહી હતી. આ કાર્યક્રમમાં શિવસેના-એનસીપી-કોંગ્રેસ ગઠબંધન મહા વિકાસ અઘાડી (MVA)ના ઘણા નેતાઓએ હાજરી આપી હતી.

Recommended