રખડતા ઢોરના ત્રાસ અંગે પાલિકાના મૌનથી વિપક્ષે રોષ ઠાલવ્યો
  • 2 years ago
ભાવનગરમાં ફરી એક વખત રખડતા ઢોરના ત્રાસથી મુક્તિ મેળવવાની માગ ઉઠી છે. ચોમાસાની શરૂઆત સાથે જ અહીં રખડતા ઢોરનો ત્રાસ ન વધે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી લોકો માંગણી કરી રહ્યાં છે. મહાનગરપાલિકા દ્વારા બનાવેલા ઢોરના ડબ્બામાં પૂરતી વ્યવસ્થા ન હોવાથી ઢોરોના મોત નીપજે છે. ત્યારે આ રખડતા ઢોરનો સરવે કરી તેમને યોગ્ય રીતે સાચવવા અને લોકોને ઢોરના ત્રાસમાંથી મુક્ત કરવા સ્થાનિકોએ રજૂઆત કરી છે. જોકે આ અંગે પાલિકાના મૌનથી વિપક્ષે રોષ ઠાલવ્યો છે.
Recommended