Video: અમરેલીમાં 3 સિંહનો આતંક, કર્યા 6 પશુઓના મારણ

  • 2 years ago
અમરેલીના કૃષ્ણગઢ ગામમાં ઘુસી 3 સિંહે 6 પશુઓના મારણ કર્યા હોવાનું સામે આવ્યું છે. કૃષ્નગઢમાં સિંહે ગાયનો શિકાર કર્યાની ઘટના સીસીટીવીમાં કેદ થતાં જ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉનાળો શરૂ થતાની સાથે જ સાવરકુંડલાના રેવન્યુ વિસ્તારમાં સિંહોની ચહલ પહેલ શરૂ થઈ જતી હોય છે. શિકારની શોધમાં અવારનવાર હિંસક પ્રાણીઓ સાવરકુંડલાના વિસ્તારમાં આવી ચડતા હોય છે ત્યારે વહેલી સવારે કૃષ્ણગઢ ગામને 3 સિંહે બાનમાં લીધુ હોય તેમ ભરબજારે 6 પશુઓનો શિકાર કર્યો.

Recommended